જયપુર એરપોર્ટ (istockphoto.com)

જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટની કામગીરી પોતાના હાથમાં લીધી છે. અદાણી ગ્રૂપની પેટાકંપની AAHL હવે દેશની સૌથી મોટી એરપોર્ટ કંપની બની ગઈ છે. જયપુર એરપોર્ટ મળ્યા બાદ કંપનીની પાસે હવે કુલ 7 એરપોર્ટનુ મેનેજમેન્ટ આવી ગયું છે. જયપુર દેશનું 11મા ક્રમનું સૌથી બિઝી એરપોર્ટ છે.

ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપે સોમવારે આ એરપોર્ટનુ નિયંત્રણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) પાસેથી હસ્તગત કર્યુ હતું. સરકારે અદાણી ગ્રૂપને 50 વર્ષ માટે આ એરપોર્ટ લીઝ પર આપ્યું છે. એરપોર્ટના ડાયરેક્ટર જે એસ બલહારાએ સોમવારે અદાણી જયપુર ઇન્ટરનેશનલ લિમિટેડના ચીફ એરપોર્ટ ઓફિસર વિષ્ણુ ઝાને એરપોર્ટની પ્રતિકાત્મક ચાવી સોંપી હતી. બલહારાએ કહ્યુ કે હવે જયપુર એરપોર્ટનુ ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ અદાણી ગ્રૂપ દ્વારા પીપીપી મોડલ પર કરવામાં આવશે.

અદાણી ગ્રૂપની પાસે છ એરપોર્ટ પહેલેથી જ છે અને આ સાથે જ તેમના નિયંત્રણમાં હવે સાતમુ એરપોર્ટ આવી ગયુ છે. બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે જુલાઈ મહિનામાં જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ટેકઓવર પૂરુ કર્યુ છે.

દેશના મુખ્ય એરપોર્ટનુ મેનેજમેન્ટ પ્રાઈવેટ હાથમાં આપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં બિડિંગ મંગાવી હતી ત્યારે અદાણી ગ્રૂપે અમદાવાદ, લખનૌ, જયપુર, મેંગલોર, ગુવાહાટી અને તિરૂવનંતપુરમના એરપોર્ટનુ મેનેજમેન્ટ અને ઓપરેશન આપવાનો નિર્ણય થયો હતો. ગ્રૂપની 100% ભાગીદારી વાળી પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ GMR જેવા મોટા પ્લેયરને પછાડતા 50 વર્ષ માટે આ એરપોર્ટને ઑપરેટ કરવાનો કરાર પ્રાપ્ત કર્યો હતો.