Karisma gets a monthly maintenance of Million
(Photo by STRDEL/AFP via Getty Images)

કરિશ્મા કપૂર તેના સાસાંરિક અંગત જીવનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. કરિશ્માએ 1990ના દસકામાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેણે રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ, હીરો નંબર વન સહિતની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. ગોવિંદા સાથે તેની જોડી ખૂબ જ જામી હતી.

કરિશ્માનું નામ ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થયું ત્યારે તેની સગાઈ અભિષેક બચ્ચન સાથે થઈ હતી. થોડા મહિનામાં જ બંનેની સગાઈ તૂટી ગઈ અને પછી કરિશ્માએ ઉતાવળમાં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને સંસારમાં વ્યસ્ત બની ગઇ હતી. લગ્ન પછી કરિશ્માએ તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા અને તેના કારણે તેની કારકિર્દીમાં પણ ઘટાડો આવ્યો હતો.

લગ્ન પછી કરિશ્મા બે બાળકો કિયાન અને સમાયરાની માતા બની હતી, પરંતુ સંજય સાથેના તેના સંબંધો બગડતા ગયા હતા. 2003માં થયેલા આ લગ્ન 2016માં તૂટી ગયા અને બંનેના છૂટાછેડા થઈ ગયા. કરિશ્માએ સંજય અને તેના પરિવારના સભ્યો પર માનસિક અને શારીરિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. કરિશ્માએ એક ઈન્ટરવ્યુમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે સંજયે હનીમૂન પર તેની બોલી લગાવી હતી અને તેને તેના મિત્ર સાથે સૂવા માટે મજબૂર કરી હતી.
પરિણામે, બંનેએ છૂટાછેડા પર જ સંબંધનો અંત લાવવાનું યોગ્ય માન્યું. આમ તો કરિશ્માથી છૂટાછેડા લેવા માટે સંજયે ભારે કિંમત ચૂકવવી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેણે કરિશ્માને કરોડો રૂપિયા ચૂકવ્યા હતા.

આ સિવાય બાળકોના ઉછેર અને અન્ય ખર્ચાઓ માટે સંજય છૂટાછેડાના સાત વર્ષ પછી પણ કરીશ્માને દર મહિને લગભગ 10 લાખ રૂપિયા આપે છે. કરિશ્માથી છૂટાછેડા લીધા પછી સંજયે ત્રીજા લગ્ન કર્યા છે. તેમની પત્નીનું નામ પ્રિયા સચદેવ છે. બંનેને એક પુત્ર પણ છે. પ્રિયાના પણ સંજય સાથે બીજા લગ્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્ન તૂટ્યા પછી, જ્યારે કરિશ્મા કપૂર વેબ સીરિઝ ‘મેન્ટલહુડ’ દ્વારા એક્ટિંગની દુનિયામાં ફરી પાછી આવી ત્યારે તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઈફનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે તેના લગ્ન તૂટવાનું કારણ જણાવતા સંજય કપૂર પર ઘણા આક્ષેપો કર્યા હતા. પિંકવિલાના રિપોર્ટ્સ અનુસાર, સંજય લગ્ન બાદ કરિશ્માને ખૂબ જ ટોર્ચર કરતો હતો અને દબાણ કરતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કરિશ્મા હનીમૂન પર ગઈ ત્યારે સંજયે મિત્રો સાથે તેની બોલી લગાવી દીધી હતી.

LEAVE A REPLY

20 + 4 =