Mukesh Ambani at Shrinathji Temple
(ANI Photo)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે સોમવારે રાજસ્થાનના ઉદયપુર નજીક આવેલા નાથદ્વારા શહેરની મુલાકાત લીધી હતી. શ્રીનાથજી મંદિર 350 વર્ષથી વધુ વર્ષોની પરંપરા ધરાવે છે. શ્રી વલ્લભાચાર્યજીના સીધી લીટીના વંશજ ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશજી મહારાજ નાથદ્વારા શ્રીનાથજી મંદિરના મુખ્ય ધર્માધિકારી છે અને સમગ્ર પુષ્ટિ માર્ગના વડા છે.

તિલકાયત મહારાજે જણાવ્યું હતું કે, ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને મુકેશ અંબાણીના પરિવારે પણ આ વારસો જાળવી રાખ્યો છે. તેઓ પુષ્ટી માર્ગને અનુસરી રહ્યા છે. મુકેશ અંબાણી અને રાધિકાએ શ્રીનાથજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.

ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે અને તેઓ પુષ્ટિ માર્ગના અનુયાયીઓ છે. મુકેશ અંબાણીએ તેમના પરિવારના પ્રથમ લગ્ન – તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્નની શરૂઆત શ્રીનાથજીની મહાઆરતી સાથે કરી હતી અને તેમના પત્ની અને નીતા અંબાણીએ મધુરાષ્ટકમ્ પર એક નૃત્ય રજૂ કર્યું હતું, જે શ્રીવલ્લભાચાર્યજી (પુષ્ટિ માર્ગના સ્થાપક) દ્વારા રચાયેલું છે અને તેના દ્વારા ભગવાન શ્રીનાથજી પ્રત્યેના અપાર પ્રેમની અભિવ્યક્તિ કરી હતી.

ભગવાન શ્રીનાથજી એ ભગવાન શ્રી કૃષ્ણનું સાત વર્ષની ઉંમરનું બાળ સ્વરૂપ છે, જે તેમના તમામ ભક્ત સમુદાયને પ્રેમ અને લીલાઓ સાથે આશીર્વાદ આપે છે.મુકેશ અંબાણીએ રાધિકા સાથે શ્રી વિશાલ બાવાના આશીર્વાદ લીધા અને શ્રી વિશાલબાવાએ સમગ્ર પરિવારને તેમની સુખાકારી માટે અને ભારતમાં 5G લોન્ચ કરવાના અવસરે, રિટેલ ક્ષેત્રે અને ગ્રીન એનર્જી સહિતના નવા સાહસો માટે અભિનંદન સાથે શુભાશિષ આપ્યા હતા. આ વારસો હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે, જ્યારે શ્રી વિશાલ બાવા સામાજિક ઉત્કર્ષને ધર્મ સાથે જોડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે.

LEAVE A REPLY

four × 1 =