(Photo by STR/AFP via Getty Images)

બોલિવૂડમાં આ વર્ષની શરૂઆતમાં જ બે સેલેબ્રિટી કપલ લગ્નગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે. ક્રિકેટર કે. એલ. રાહુલ અને આથિયા શેટ્ટી બાદ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નએ સૌ કોઈનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું હતું. આ વર્ષે જ રકુલ પ્રીત સિંઘ અને પ્રોડ્યુસર જેકી ભગનાની લગ્ન કરશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન તાજેતરમાં, ફિલ્મ ‘ઊંચાઈ’થી ફરી એકવાર ચર્ચામાં આવેલી અભિનેત્રી પરિણિતિ ચોપરાએ પણ તેનાં લગ્ન અંગેના વિચારો એક ઈન્ટરવ્યૂ દરમિયાન વ્યક્ત કર્યા હતા.

પરિણિતિએ લગ્ન અંગેના પ્રશ્નના ઉત્તર આપ્યો હતો કે, તમે મારા માટે છોકરો શોધો, હું તો લગ્ન માટે તૈયાર જ છું. તમે મને કોઈનું નામ સજેસ્ટ તો કરો, હું તેના પર વિચાર કરી શકું છું. મારા અંગત જીવનની વાત કરું તો, મને લગ્ન કરવા ગમશે અને લગ્ન પછી, તરત જ બાળકોનું પ્લાનિંગ પણ કરીશ કેમ કે, જીવનમાં તે સૌથી વધુ મહત્વનું છે. હું બેલેન્સ લાઈફ જીવવા ઈચ્છું છું. કરિયર અને પર્સનલ લાઈફ બંનેમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. હું કામની સાથે જ, ફેમિલી અને ફ્રેન્ડ્સ વચ્ચે લાઈફની મજા માણવા માંગુ છું.

ઈન્ટરવ્યૂ દરમિયાન પરિણીતિને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું બોલિવૂડમાં જુદા-જુદા કલાકારોના થઈ રહેલા લગ્ન જોઈને તે માનસિક રીતે લગ્ન માટે તૈયાર થઈ છે ? આ સવાલના જવાબમાં પરિણીતિએ કહ્યું હતું કે, જેમના લગ્ન થયા છે તે બધા જ મારા મિત્રો છે. હું ખૂબ જ ખુશ છું કે, તેઓ સારી રીતે જીવનમાં એક સ્ટેપ આગળ વધી રહ્યા છે. તેઓ અનેક વર્ષોથી સાથે હતા અને તેઓ સમગ્ર જીવન સાથે વિતાવશે તે વાતથી હું ખુશ છું. જે દિવસે મને ગમતો છોકરો મળશે અને મને પ્રેમ થઈ જશે તે દિવસે હું ચોક્કસ પરણી જઈશ.

LEAVE A REPLY

5 + 7 =