(PTI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી મંગળવારે તેમની માતા સ્વર્ગસ્થ હીરાબાને યાદ કરીને ભાવુક થયા હતા અને કહ્યું હતું કે તેઓ સ્વર્ગમાંથી વડા પ્રધાન પર તેમના આશીર્વાદ વરસાવતા હશે. વડાપ્રધાન મોદી રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવ્યા ત્યારે સોમાભાઈ મોદી મતદાન મથકની બહાર નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. બંને ભાઇએ એકબીજાની સુખાકારી અને ખબરઅંતર પૂછ્યાં હતાં.

સોમાભાઈ મોદીએ કહ્યું હતું કે લોકોની જેમ તેઓ પણ ઈચ્છે છે કે તેમના ભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને. વડાપ્રધાન મોદી ગુજરાતના ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને તેમની માતાને મળતા હતા અને અહીં મતદાન કરવા આવતા પહેલા તેમના આશીર્વાદ લેતા હતા.

હીરાબાનું નિધન ડિસેમ્બર 2022માં થયું હતું. ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળના અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક મતદાન મથકની બહાર આંખમાં આંસુ સાથે સોમાભાઈએ જણાવ્યું હતું કે, “મારી માતા હવે રહ્યાં નથી. પરંતુ તેઓ અત્યારે સ્વર્ગમાંથી નરેન્દ્રભાઈને તેમના આશીર્વાદ આપતા હશે.

LEAVE A REPLY

10 − 3 =