(Photo by ISHARA S. KODIKARA/AFP via Getty Images)

હાલમાં ઈંગ્લેન્ડમાં રહેલી ભારતીય ક્રિકેટ ટીમની ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ આવતા મહિને શરૂ થવાની છે ત્યારે કોરોના વાઈરસની બિમારી તથા ઈજાના કારણે ટીમમાં કેટલાક ફેરફારો કરાઈ રહ્યા છે. હાલમાં ઈંગ્લેન્ડમાં રહેલા શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર તથા આવેશ ખાન ઈજાના કારણે હવે રમી શકશે નહીં. આથી તેમના સ્થાને પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરાયો હોવાનું ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે (26 જુલાઈ) જાહેર કર્યું હતું. કોરોનાનો ચેપ લાગ્યાના કારણે સારવાર લઈ ચૂકેલો ઋષભ પંત હવે ફીટ જાહેર થયો છે અને રમી શકશે. શુભમન ગિલ તો ઈજા પછી ભારત પાછો પણ ફરી ગયો છે.