કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રામાં બ્રેક લઈને 27 અને 28 ફેબ્રુઆરીએ તેમની અલ્મા મેટર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બે વિશેષ પ્રવચનો આપશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે ન્યાય યાત્રામાં 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વિરામ રહેશે. આ સમયગાળામાં રાહુલ ગાંધી તેમની અલ્મા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવચન આપશે અને નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોમાં હાજરી આપશે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)