શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર યુ.કે દ્વારા યુકેમાં દિવ્યતાના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમનું આયોજન ગુરુવાર તા. 20 જૂનથી રવિવાર તા. 23 જૂન 2024 સુધી બાયરોન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD, લંડન ખાતે કરવામાં આવ્યું છે.

આંતરિક વિકાસ અને આધ્યાત્મિક પોષણ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઇ દ્વારા તા. 20થી 22 જૂન દરમિયાન રોજ રાતના 8થી 10 પ્રવચન થશે. શનિવાર તા. 22 જૂનના રોજ સાંજે ઉજવણી અને ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા પ્રવચન થશે. તે પહેલા સાંજે 6 થી 7:30 સુધી રાત્રિભોજનનો લાભ મળશે.

આત્માર્પિત દીક્ષા સમારોહનું આયોજન રવિવાર તા. 23 જૂનના રોજ સવારે 10:30થી 12 સુધી કરવામા આવ્યું છે. તે પછી બપોરે 12થી 1:30 સુધી લંચનો લાભ મળશે. ભોજનનો બગાડ ન થાય તે માટે નોંધણી કરાવવા વિનં તી છે.

ભોજન કાર્યક્રમ દરમિયાન શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની વૈશ્વિક પહેલ પર એક ઇમર્સિવ પ્રદર્શન ખુલ્લું રહેશે. મર્યાદિત ક્ષમતાને લીધે, પ્રવચનમાં વહેલા તે પહેલાના ધોરણો બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  પ્રવચનના 1 કલાક પહેલા પ્રવેશ અપાશે અને કાર્યક્રમ શરૂ થવાની 5 મિનિટ પહેલા પ્રવેશ બંધ થઈ જશે. પ્રવચન દરમિયાન 5-11 વર્ષના બાળકો માટે ક્રેશની સુવિધા રાખવામાં આવી છે. રજીસ્ટ્રેશન, હોટેલ, ટ્રાન્સપોર્ટ, સ્થાનિક રેસ્ટોરાં અને વધુ માહિતી માટે સંપર્ક [email protected] પર ઇમેઇલ કરો અથવા ફોન કરો. +44 7835 237 325. https://events.srmd.org/

 

LEAVE A REPLY

five × four =