- BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી રોડ, નીસડન NW10 8HW ખાતે ગુરુવાર તા. 26 માર્ચ 2026ના રોજ સવારે 9 થી સાંજના 8 વાગ્યા સુધી શ્રી સ્વામિનારાયણ જયંતિ અને શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી રાતના 8 સુધી મંદિર અને અન્નકુટ દર્શન, સવારે 11 કલાકે અન્નકુટ થાળ, સવારે 11.45 અન્નકુટ અને રાજભોગ આરતી, બપોરે 12 કલાકે શ્રી રામ ભગવાન જન્મોત્સવ આરતી, સાંજે 7 કલાકે આરતી, રાત્રે 8 થી 10.30 સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાત્રે 10.10 કલાકે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવ આરતી થશે. સંપર્ક – 020 8965 2651 – neasdentemple.org.
- શ્રી વલ્લભ નિધિ યુકે – શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલીંગ રોડ, વેમ્બલી HAO 4TA ખાતે શ્રી રામનવમી ઉત્સવની ઉજવણી ગુરુવાર, તા. 26મી માર્ચ 2026ના રોજ કરવામાં આવશે. સવારે 11થી ભજનો, બપોરે 12 કલાકે શ્રી રામ જન્મ, ત્યારબાદ આરતી અને પાલના દર્શન, ફલાહાર – પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 0208 903 7737 અથવા ભાવિક મહારાજ – 07801838511 – વેબસાઇટ: svnuk.com
- શ્રી ગીતા ભવન, 107-117 હીથફિલ્ડ રોડ, હેન્ડવર્થ, બર્મિંગહામ B19 1HL ખાતે શ્રી રામ નવમી મહોત્સવની ઉજવણી ગુરુવાર 26મી માર્ચના રોજ સવારે 9થી બપોરે 12 સુધી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી રામ દરબાર અભિષેક, આરતી, ભજન – કીર્તન, શ્રી રામ જન્મોત્સવ અને બપોરે 12થી ભંડારાનો લાભ મળશે. આ પ્રસંગે દુર્ગા અષ્ટમીની ઉજવણી તથા આગામી 23થી 26 જુલાઈ દરમિયાન શત ચંડી મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક – 0121 554 4120.
- શ્રી લોહાણા મહાજન અને શ્રી રામ મંદિર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન ગુરૂવાર 26 માર્ચે સવારે 30થી બપોરે 1.00 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. રામ જન્મ બપોરે 12 વાગ્યે થશે. મહેશભાઈ કારિયા દ્વારા ભજનો થશે. મંદિર દર્શન માટે આખો દિવસ ખુલ્લું રહેશે.
- ભારત હિન્દુ સમાજ પીટરબરો હિન્દુ મંદિર, PE1 3BU ખાતે શ્રી રામનવમીની ઉજવણીનું આયોજન ગુરુવાર 26મી માર્ચ 2026ના રોજ સવારે 30થી કરવામાં આવશે. બપોરે 12 કલાકે રામ જન્મ મહોત્સવ/પૂજા/ઝુલા દર્શન, બપોરે 1:30 – ફલાહાર/ભોજનનો લાભ મળશે. દરરોજ સવારે સવારે 9.45 કલાકે થતી આરતી અને 10.30 કલાકે થતા સત્સંગ / ચોપાઈના પાઠમાં સૌનું સ્વાગત છે. સંપર્ક – ધર્મેશભાઈ 07920 549475.
- શ્રી પ્રજાપતિ એસોસિએશન, અલ્વર્સક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BY ખાતે શ્રી રામ નવમી ઉત્સવની ઉજવણીનું આયોજન ગુરુવાર તા. 26 માર્ચ 2026ના રોજ સાંજે 5:30થી રાત્રે 9 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. સંપર્ક – નયનાબેન એન. મિસ્ત્રી કરો – 0116 2915 576.
- LCNL દ્વારા ધમેચા લોહાણા સેન્ટર ખાતે રામનવમી ઉત્સવની ઉજવણીનું આયોજન જે.વી. ગોકલ હોલ, ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, HA2 8AX ખાતે ગુરુવાર તા. 26 માર્ચના રોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી પ્રસાદી સાથે કરવામાં આવ્યું છે. રાત્રે 8 થી 10 વાગ્યા સુધી વંદનાબેન સોમૈયા દ્વારા ભજનો રજૂ કરવામાં આવશે, ત્યારબાદ થાળ અને આરતી થશે. સંપર્ક: મધુબેન પોપટ: 07500 701 318.
- હિન્દુ કાઉન્સિલ યુકે દ્વારા ગુરુવાર, 26 માર્ચના રોજ સાંજે 4થી 6 દરમિયાન શ્રી રામ નવમી ઉત્સવની ઉજવણીનું આયોજન હાઉસ ઓફ કોમન્સમાં કમિટી રૂમ 9માં કરવામાં આવ્યું છે. RSVP માટે [email protected] પર ઇમેઇલ કરવા વિનંતી છે.
- ઇન્ડિયન કલ્ચરલ એસોસિએશન ઓફ ડોર્સેટ – ICAD દ્વારા રામ નવમી ઉત્સવની ઉજવણીનું આયોજન કિન્સન કોમ્યુનિટી સેન્ટર, મિલ્હામ્સ રોડ, કિન્સન BH10 7LH ખાતે શનિવાર, 28 માર્ચ, 2026 સવારે 9:30થી બપોરે 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. પ્રસંગે પ્રાર્થના, કીર્તન અને ઉજવણી કરવામાં આવશે.
- આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, 22 પામર્સ્ટન રોડ, હેરો, HA3 7RR ખાતે શ્રી રામ નવમી મહોત્સવની ઉજવણીનું આયોજન 27 માર્ચના રોજ સવારે 11થી બપોરે 1 દરમિયાન કરવામાં આવશે. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજી સત્સંગ અને ભજનોનું સંચાલન કરશે. સંપર્ક – 0208 426 0678 – siddhashram.com
- હરે કૃષ્ણ મંદિર, વોટફર્ડ ખાતે રામ નવમી ઉત્સવની ઉજવણીનું આયોજન 29 માર્ચના રોજ સવારે 10થી રાત્રે 9-30 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. દર્શન, પ્રસાદ, જાપ ધ્યાન, બાળકોની પ્રવૃત્તિઓ, ગોશાળા (ફાર્મ), કેફે અને ગિફ્ટ શોપ, સ્ટેજ પ્રોગ્રામનો લાભ દિવસભર મળશે. બપોરે 2 અને સાંજે 5 વાગ્યા સુધી તળાવની આસપાસ શોભા યાત્રા (બોટલીલા)નો લાભ મળશે. સ્ટેનમોર સ્ટેશન અથવા હેરો અને વીલ્ડસ્ટોનથી મંદિરે આવવા માટે શટલ બલનો લાભ મળશે. ટિકિટ વિના પ્રવેશ મળશે નહીં.
- ઇસ્કોન કેમ્બ્રિજશાયર દ્વારા માર્લે કોમ્યુનિટી સેન્ટર, કેમ્બ્રિજ ખાતે રામ નવમી મહોત્સવનું આયોજન રવિવાર, 29 માર્ચના રોજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કથા, આરતી, અભિષેક, ભક્તિમય પ્રદર્શન અને સ્વાદિષ્ટ પ્રસાદનો લાભ મળશે.
- ચિન્મય કીર્તિ, 2 એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન NW4 4BA ખાતે શ્રી રામ નવમી ઉત્સવનું આયોજન રવિવાર, 22 માર્ચથી ગુરુવાર, 26 માર્ચ સુધી કરવામાં આવ્યું છે. શ્રીપ્રિયાજી દ્વારા શ્રી રામ નવમી પૂજા, પવિત્ર સુંદરકાંડના મંત્રોચ્ચાર અને સ્વરાંજલિ ટીમના દિવ્ય સંગીતનો લાભ મળશે. સંપર્ક: ફોન 020 8203 6288.
- શ્રી યુકે લુહાર જ્ઞાતિ મંડળ દ્વારા રામ નવમી અને હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન શનિવાર 4 એપ્રિલ 2026ના રોજ બપોરે 2:30 રાત્રે 8:30 દરમિયાન દરજી પેવેલિયન, 26 ઓકથોર્પ રોડ, લંડન, N13 5JL ખાતે કરવામા આવ્યું છે. રિફ્રેશમેન્ટ્સ, 21 હનુમાન ચાલીસા, ભજનો અને સાંજે 7 વાગ્યાથી મહાપ્રસાદનો લાભ મળશે. વેબસાઇટ: suklgm.org.uk
બાલમ મંદિર ખાતે રામાયણ અને જ્ઞાનનું આયોજન
સાઉથ લંડનના બાલમ મંદિર, 33 બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે રામાયણ અને જ્ઞાનનું આયોજન તા. 20ને શુક્રવારથી તા. 27ને શુક્રવાર સુઘી રોજ બપોરે 1 થી સાજે 4 સુઘી કરવામાં આવ્યું છે. કથાનું રસપાન કુસુમબેન સોલંકી દ્વારા કરવામાં આવશે. રોજ હળવો નાસ્તો પીરસવામાં આવશે. રામાયણની પૂર્ણાહુતિ તા. 27ના રોજ શુક્રવારે રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રીનાથજી પંચામૃત સ્નાન અને આરતી, મહા પ્રસાદનો લાભ મળશે.
2.4.2026ને ગુરુવારે હનુમાન જયંતિની ઉજવણી થશે અને સુંદરકાંડ પાઠ અને આરતીનો લાભ બપોરે 1 થી 4 દરમિયાન મળશે. સંપર્ક – પલલ્વીબેન 07920 050 251 અને દેવયાનીબેન: 07929 165 395.












