(ANI Photo)

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) મોનિટરી પોલિસી કમિટીની (MPC) બેઠકના અંતે ગુરુવાર, 8 ફેબ્રુઆરીએ વ્યાજદરને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસીએ રેપો રેટ સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે. 2024-25 માટે આરબીઆઈએ 7 ટકા વૃદ્ધિ દરનો 4.5 ટકા ફુગાવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગયા વર્ષે 8 ફેબ્રુઆરી, 2023એ રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો. આ પછી આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. આ પછીથી આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં.  રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે. MSF રેટ અને બેંક રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF રેટ 6.25 ટકા પર સ્થિર છે.

LEAVE A REPLY

seventeen + eleven =