64 projects approved for development of famous pilgrimage sites in Gujarat
સોમનાથ મંદિર (istockphoto.com)

ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની સોમવારે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા.

કેશુભાઈ પટેલના નિધનના કારણે ચેરમેન પદ ખાલી પડતા મોદીને ચેરમેન બનાવાયા છે. બે વખત સોમનાથ ટ્રસ્ટના ચેરમેનને લઇ થનારી વર્ચ્યુઅલ બેઠક રદ થયા બાદ સોમવારે બેઠક યોજાઈ હતી. સોમનાથ ટ્રસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, પી કે લહેરી, જે. ડી.પરમાર સહિતના ટ્રસ્ટીઓ કાર્યરત છે.