આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઇનો ફાઇલ ફોટો (Photo by RAVEENDRAN/AFP via Getty Images)

આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતાા તરૂણ ગોગોઈનું સોમવારે નિધન થયું હતું.. તેઓ 84 વર્ષના હતા. ગોગોઇને ઓગસ્ટમાં કોરોના થયો હતો. તેઓ એક વખત સ્વસ્થ પણ થઈ ગયા હતા, પરંતુ પોસ્ટ કોવિડ કોમ્પિલકેશન્સનો સામનો કરી રહ્યાં હતા.

ગુવાહાટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેઓએ સાંજે 5.34 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ ત્રણ વખત આસામના મુખ્યપ્રધાન રહ્યાં હતા. વડાપ્રધાન મોદીએ સહિતના નેતાઓ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.