પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડા સરકારે અસાયલમ સંબંધિત નિયમોને કડક બનાવવા માટે એક નવો કાયદો પસાર કર્યો છે. બિલ C-12, અથવા સ્ટ્રેન્થનિંગ કેનેડાઝ ઇમિગ્રેશન સીસ્ટમ એન્ડ બોર્ડર્સ એક્ટ નામના કાયદાને 26 માર્ચ 2026ના રોજ મંજૂરી મળી હતી અને હવે તે કાયદો લાગુ થયો છે.

ઇમિગ્રેશન, રેકયુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા મુજબ આ કાયદામાં ચાર મુખ્ય ભાગ છે. જે મુજબ અસાયલમના દાવા માટે નવા નિયમો વધારવામાં આવ્યા છે. જેના દ્વારા દાવાની પ્રક્રિયાને વ્યવસ્થિત અને ઝડપી બનશે, સરકારી વિભાગો વચ્ચે વધુ માહિતીનું આદાન-પ્રદાન થઈ શકશે અને સરકારને ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ અને અરજીઓના મુદે વધુ સત્તા મળશે. અત્યારે કેનેડામાં અસાયલમ ઇચ્છનારાઓમાં ભારતીય નાગરિકો સૌથી મોટો સમુદાય છે. 2025ના પ્રથમ છ મહિનામાં, ભારતીય નાગરિકો દ્વારા 9,770 જેટલી રેફ્યુજી અરજીઓ કરવામાં આવી હતી, જે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ હતી.

આ મુદ્દે ભારત મેક્સિકો અને હૈતી જેવા દેશો કરતાં ઘણું આગળ હતું. આ પ્રકારીની અરજીઓ પંજાબ જેવા રાજ્યોમાંથી નોંધપાત્ર સંખ્યામાં કરવામાં આવી હતી, જે ઘણીવાર રાજકીય અથવા સુરક્ષા સંબંધિત બાબતો સાથે સંકળાયેલી હોય છે. કેનેડાના ઇમિગ્રેશન એન્ડ રેફયુજી બોર્ડ (IRB) ના અધિકૃત રેકોર્ડમાં જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2012થી ભારતીય નાગરિકો દ્વારા અસાયલમ માટે 45,000થી વધુ અરજીઓ કરવામાં આવી હતી. સૌથી મોટા ફેરફારો 3 જૂન, 2025ના રોજ અથવા તે પછી કરવામાં આવેલી અસાયલમ માટેની અરજીઓને અસર કરે છે.