વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાન-3 મિશન દરમિયાન ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ-લેન્ડિંગનું જીવંત પ્રસારણ જોયું હતું. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ઉતરાણ કરવા બદલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ને અભિનંદન પાઠવ્યાં હતાં. ચંદ્રની દક્ષિણ સપાટી પર ચંદ્રયાન-3ના ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગ પછી તરત જ પીએમ મોદીએ કહ્યું કે તે “નવા યુગની સવાર” છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે જ્યાં આજ સુધી કોઈ દેશ નથી પહોંચ્યો. ચંદ્ર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ આજથી બદલાઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાથી આ મિશન લાઈવ જોયું હતું. ચંદ્રયાન લેન્ડિંગ થયું હતું ત્યારે પીએમ મોદીએ આ સફળ લેન્ડિંગ માટે 140 કરોડ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. દરેક દેશવાસીની જેમ મારું ધ્યાન ચંદ્રયાન મહાઅભિયાન પર કેન્દ્રિત છે. હું મારા દેશવાસીઓ અને મારા પરિવારના સભ્યો સાથે પણ આ ઉત્સાહ સાથે જોડાયેલો છું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે “મારા પ્રિય પરિવારના સભ્યો! આવો ઈતિહાસ આપણી નજર સામે બનતો જોઈને આપણને ગર્વ થાય છે. આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રજીવનની ચેતના બની રહે છે. આ ક્ષણ અવિસ્મરણીય છે. આ ક્ષણ અભૂતપૂર્વ છે. વિકસિત ભારતના શંખનાદની આ ક્ષણ છે. આજે આપણે અવકાશમાં ન્યુ ઈન્ડિયાની નવી ઉડાન જોઈ છે. દરેક ઘરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. મારા હૃદયથી, હું આ ઉત્સાહ અને ઉલ્લાસમાં મારા દેશવાસીઓ, મારા પરિવારના સભ્યો સાથે પણ જોડાયેલું છું. હું ચંદ્રયાનની ટીમ, ઈસરો અને દેશના તમામ વૈજ્ઞાનિકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. જેણે આ ક્ષણ માટે વર્ષોથી ખૂબ મહેનત કરી. આપણા વૈજ્ઞાનિકોની મહેનતને કારણે ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં આજ સુધી દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. આજથી ચંદ્રને લગતી દંતકથાઓ બદલાશે. ભારતમાં આપણે બધા પૃથ્વીને માતા અને ચંદ્રને મામા કહીએ છીએ. એક જમાનામાં એવું કહેવાતું હતું કે ચંદા મામા દૂરથી આવ્યા છે, હવે એક દિવસ એવો પણ આવશે, જ્યારે બાળકો કહેશે કે ચંદા મામા એક ટુર જેટલા જ દૂર છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments