Kananaskis, Alberta, Canada, June 16, 2025. REUTERS/Amber Bracken

ઇરાન અને ઇઝરાયેલે સતત પાંચમાં દિવસે એકબીજા પર હુમલા ચાલુ કરતાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં ચાલી રહેલી જી-7 સમીટ અધવચ્ચે છોડીને અમેરિકા રવાના થયાં હતાં. કેનેડા છોડતા પહેલા તમામ લોકોને તહેરાન ખાલી કરવાની ચેતવણી આપી હતી અને પુનરોચ્ચાર કર્યો હતો કે ઈરાને અમેરિકા સાથે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરવા જોઈતા હતાં.

ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે ઈરાને મેં જે ‘સોદા’ પર હસ્તાક્ષર કરવાનું કહ્યું હતું તેના પર હસ્તાક્ષર કરવા જોઈતાં હતાં. કેટલી શરમજનક વાત છે. સરળ શબ્દોમાં કહીએ તો ઈરાન પરમાણુ શસ્ત્ર રાખી શકે નહીં. મેં વારંવાર કહ્યું છે કે દરેક વ્યક્તિએ તાત્કાલિક તેહરાન ખાલી કરી દેવું જોઈએ.

અમેરિકાના પ્રેસિડન્ટ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ માટે જી-સેવન સમીટમાંથી વહેલા નીકળી ગયા હોવાના ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુએલ મેક્રોનના દાવાને ફગાવી દેતા ટ્રમ્પે જણાવ્યું હતું કે આ શિખર સંમેલનમાંથી તેમની વહેલી વિદાયનો યુદ્ધવિરામ પર કામ કરવા સાથે કોઈ સંબંધ નથી. મેક્રોને ભૂલથી કહ્યું હશે.મેક્રોને સોમવારે અગાઉ કહ્યું હતું કે ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની ઓફર કરી હતી.

અમેરિકા સાથી દેશ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે શુક્રવારથી હવાઇ યુદ્ધ ચાલુ થયું છે અને તેનાથી મધ્યપૂર્વમાં તંગદિલી સર્જાઈ છે. ઇઝરાયેલના હુમલામાં ઇરાનમાં આશરે 220 લોકોના મોત થયા છે, જ્યારે ઇઝરાયેલમાં 24 નાગરિકોના મોત થયા છે.

LEAVE A REPLY