ઇસ્ટ એન્ડ ફુડ્સ લિમિટેડ દ્વારા વેસ્ટ મિડલેન્ડના એસ્ટન અને સ્મિથવિક સ્થિત પોતાની બે કેશ એન્ડ કેરી બિઝનેસ લાયનક્રોફ્ટ હોલસેલ લિમિટેડના જસ અને જેસન વૌહરા, ઓબીઇને વેચવામાં આવી હોવાની ઘોષણા કરી છે જેઓ ઇસ્ટ એન્ડ હોલસેલ સ્ટોર્સના નામથી વેપાર કરે છે. વેચાણની પ્રક્રિયા આગામી મહિનામાં થશે.

ઇસ્ટ એન્ડ હોલસેલ સ્ટોર્સ સંપૂર્ણપણે ઇસ્ટ એન્ડ ફુડ્સ લિમિટેડથી અલગ છે. ઇસ્ટ એન્ડ ફુડ્સ લિમિટેડ આઇકોનિક ફૂડના ક્ષેત્રે વિકાસ કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યારે ઇસ્ટ એન્ડ હોલસેલ સ્ટોર્સ બે કેશ એન્ડ કેરી બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ઇસ્ટ એન્ડ ફુડ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન રોહિત સામાણીએ જણાવ્યું હતું કે, “જેસન અને જસ સાથે અમારો લાંબા સમયથી સંબંધ છે અને અમે તે સંબંધને નવી સંસ્થાની રચના પછી પણ ચાલુ રાખવાની આશા રાખીએ છીએ.” ઇસ્ટ એન્ડ કેશ એન્ડ કેરી ઇસ્ટ એન્ડ બ્રાન્ડની પ્રોડક્ટ્સનુ વેચાણ ચાલુ રાખશે અને બંને કંપનીઓ મ્યુચ્યુઅલ ધોરણે બન્ને બિઝનેસીસના વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અમે જેસન અને તેમના કુટુંબને અભિનંદન આપીએ છીએ.”

ઇસ્ટ એન્ડ હોલસેલ સ્ટોર્સના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. જેસન વૌહરા, ઓબીઇએ જણાવ્યું હતું કે: “હું કેશ એન્ડ કેરી બિઝનેસને તેની વૃદ્ધિ અને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.  હોલસેલ ઇન્ડસ્ટ્રીની કામગીરી અને ઉપલબ્ધ તકો પ્રત્યે મને ખૂબ જ વિશ્વાસ છે અને અમે પૂર્વ ગ્રાહકો, સપ્લાયર્સ અને સાથીદારો સાથે બિઝનેસને વધારવા કટિબધ્ધ છીએ. અમે ઇસ્ટ એન્ડ ફુડ્સ લિમિટેડની ટીમ સાથેના સંબંધોને ચાલુ રાખી ઇસ્ટ એન્ડ બ્રાન્ડની વિવિધ પ્રોડક્ટના સપ્લાય માટે રાહ જોઈ રહ્યા છીએ.”