ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ANI Photo)

ઓમિક્રોન વેરિયન્ટને પગલે દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજીને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરે તેવી શક્યતા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોએ કોરોનાને અંકુશમાં લેવા માટે વિવિધ નિયંત્રણો લાદ્યા છે. વડાપ્રધાન મોદીએ રવિવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મોદીએ જિલ્લા સ્તરે પૂરતું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની અને વેક્સિનેશનમાં ઝડપ લાવવાની સૂચના આપી હતી.