220.12 crore doses of vaccine administered in India

ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત શનિવાર સુધીમાં 220.10 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ બીજો ડોઝ અને 22.40 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 91,732 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,653 થયું છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 0.01% છે. સાજા થવાનો દર હાલમાં 98.08% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 179 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,41,44,029 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 226 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવીટી દર 0.12% પર પહોંચ્યો છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.15% છે. કુલ 91.07 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા 24 કલાકમાં 1,87,983 ટેસ્ટ કરાયા છે.

LEAVE A REPLY

five × five =