રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટર સહિત ચાર વ્યક્તિઓને રાજયસભામાં નોમિનેટ કર્યાં હતાં.
ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ ક્રિમિનલ કેસોમાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. તેમણે કસાબને સજા કરાવી હતી. હર્ષવર્ધન શ્રૃંગલા ભારતના વિદેશ સચિવ રહી ચૂક્યા છે અને વિદેશ નીતિના ક્ષેત્રમાં લાંબો અનુભવ ધરાવે છે.ss
મીનાક્ષી જૈન ઇતિહાસના જાણીતા પ્રોફેસર છે, જ્યારે સદાનંદન માસ્ટર લાંબા સમયથી શિક્ષણ અને સમાજ સેવા સાથે સંકળાયેલા છે. તેઓ પોતે કેરળમાં રાજકીય હિંસાનો ભોગ બન્યા હતા. આ દરેક નામ પોતપોતાના ક્ષેત્રમાં એક ખાસ ઓળખ ધરાવે છે.
રાષ્ટ્રપતિ કાર્ય અને અનુભવના આધારે કેટલાક ખાસ લોકોને રાજ્યસભાના સભ્ય બનાવી શકે છે. રાષ્ટ્રપતિ ફક્ત એવા વ્યક્તિઓને રાજ્યસભામાં નોમિનેટ કરી શકે છે જેમણે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાં વિશેષ યોગદાન આપ્યું હોય.
