ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 136 ટકા, સૌરાષ્ટ્રમાં 110 ટકા, ઉત્તર ગુજરાતમાં 67 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 70.87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિના 74 ટક જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 70 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 67 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83 ટકા જળસંગ્રહ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 61 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 28 જળાશયો મળી કુલ 89 જળાશયો હાઈ એલર્ટ પર છે.

LEAVE A REPLY

3 + 19 =