શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા નજીક એક અમેરિકન સબમરીને હુમલો કરીને ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દેતા ઓછામાં ઓછા 87 ખલાસીઓના મોત થયા હતાં. શ્રીલંકાની નેવીઓ ઓછામાં 32 લોકોને બચાવી લીધા હતાં. અમેરિકાએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી નથી, પરંતુ સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે સબમરીન હુમલાની પુષ્ટિ કરી હતી અને તેને ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની વૈશ્વિક પહોંચના પુરાવા તરીકે ગણાવી છે.
શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજિતા હેરાથે અગાઉ સંસદમાં જણાવ્યું હતું કે ઈરાની જહાજ પર 180 લોકો સવાર હતા, આ જહાજ IRIS દેના નામનું હતું.
અગાઉ શ્રીલંકાના નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે સબમરીન હુમલાને કારણે ઓછામાં ઓછા 101 લોકો ગુમ થયા છે, એકનું મોત થયું છે અને 78 લોકો ઘાયલ થયા છે. આ જહાજ ડૂબી ગયું છે. શ્રીલંકાના નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા ૩૨ લોકોને શ્રીલંકાના નૌકાદળ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શ્રીલંકાના વિદેશ પ્રધાને દિવસની શરૂઆતમાં સંસદમાં જણાવ્યું હતું કે નૌકાદળે જહાજ તરફથી મળેલા કોલનો જવાબ આપ્યો હતો અને સવારે 6:00 વાગ્યે (1230 GMT) બચાવ કામગીરી શરૂ કરી હતી.
શ્રીલંકાન વિદેશ પ્રધાન વિજિતા હેરાથે જણાવ્યું હતું કે આજે સવારે 5.08 વાગ્યે શ્રીલંકાના નૌકાદળ અને કોસ્ટલ ગાર્ડને ગાલે જિલ્લાથી 40 નોટિકલ માઇલ દૂર ‘આઇરિસ દેના’ નામનું જહાજ ડુબી રહ્યું હોવાનો સંદેશ મળ્યો હતો. ઓછામાં 32 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા.














