(ANI Photo)

ગુજરાતની લોકસભાની કુલ 26માંથી 25 બેઠકો માટે કુલ 265 ઉમેદવારો મેદાનમાં છે. સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને સોમવારે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતાં. તેથી હવે 7 મેના રોજ ચૂંટણી યોજનારી ચૂંટણીમાં 25 લોકસભા બેઠક પર મતદાન થશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ સોમવાર, 22 એપ્રિલ હતી. અમદાવાદ-પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સૌથી ઓછા બારડોલી (ST) સીટ પર ત્રણ ઉમેદવારો છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાંથી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર 12થી 19 એપ્રિલની વચ્ચે, કુલ 433 ઉમેદવારોએ 26 લોકસભા સીટો માટે નોમિનેશન ફોર્મ સબમિટ કર્યું હતું. 20 અને 21 એપ્રિલના રોજ યોજાયેલી ચકાસણી પ્રક્રિયા દરમિયાન 105 લોકસભા ઉમેદવારોના ઉમેદવારી પત્રો રિજેક્ટ કરાયા હતા. તેનાથી ઉમેદવારોની સંખ્યા ઘટીને 328 થઈ ગયા હતા. સોમવાર સુધી 62 લાયક લોકસભા ઉમેદવારોએ તેમના નોમિનેશન ફોર્મ પાછા ખેંચી લીધા પછી 266 ઉમેદવારો (મુકેશ દલાલ સહિત) બાકી રહ્યા હતા.

મેદાનમાં રહેલા અગ્રણી ઉમેદવારોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને તેમના કેબિનેટ સાથીદારો મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે.વિજાપુર વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ આઠ ઉમેદવારો અને સૌથી ઓછા બે ઉમેદવારો વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.

LEAVE A REPLY

8 + three =