REUTERS/Akhtar Soomro/File Photo

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)એ 18 જૂનથી લાહોરથી પેરિસની સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સાપ્તાહિક ફ્લાઇટ લાહોરથી પેરિસ સુધી ચાલશે. પીઆઈએ પહેલાથી જ ઇસ્લામાબાદથી પેરિસ માટે બે સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવે છે.

બુધવારે પ્રશ્નકાળ દરમિયાન નેશનલ એસેમ્બલીમાં સંસદીય સચિવ ઝેબ જાફરે જણાવ્યું હતું કે, પીઆઈએ માર્ચ 2024થી નફાકારક બની છે. ભૂતકાળમાં ગૃહના ફ્લોર પર આપવામાં આવેલા બેજવાબદાર નિવેદનોથી એરલાઇનની પ્રતિષ્ઠા અને વ્યવસાયને નુકસાન થયું હતું.પીઆઈએએ હવે યુરોપિયન યુનિયન માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે, જેમાં યુરોપના બે સ્થળો, જેમ કે પેરિસનો સમાવેશ થાય છે. EU એવિએશન સેફ્ટી એજન્સી (EASA) સાથે વાતચીત કરી છે, જેનાથી પેરિસ માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. યુકે એવિએશન સત્તાવાળાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે.

મીડિયા રીપોર્ટ મુજબ ટર્કિશ એરલાઇન્સ સાથે પણ ચર્ચા ચાલી રહી છે, જેનાથી પાકિસ્તાની પ્રવાસીઓને ફાયદો થવાની અપેક્ષા છે. સરકાર PIAના નેટવર્કને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા સહિત નફાકારક રૂટ સુધી વિસ્તૃત કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.અગાઉ પીઆઈએએ લાહોરથી બાકુ, અઝરબૈજાન સુધીની સીધી ફ્લાઇટ્સ શરૂ કરી હતી.

 

LEAVE A REPLY