(PTI Photo)

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આશરે 1,492 ગેરકાયદે મકાનો તોડી પાડવા માટે સોમવારે આશરે 100 બુલડોઝર સાથે મેગા ડિમોલિશેન અભિયાન હાથ ધર્યું હતું. શહેરના ઈતિહાસના આ સૌથી મોટા ડિમોલિશનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 2500 પોલીસ અને એસઆરપી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સત્તાવાળાએ અગાઉ આ તમામ મકાનોને નોટિસ આપી હતી અને ઘણા રહેવાસીઓએ પોતાના મકાનો જાતે જ તોડી નાખ્યાં હતાં. શહેરના ઝોન-1 ડીસીપી હેતલ પટેલે જણાવ્યું કે આ વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી સવારથી શાંતિપૂર્ણ રીતે થઈ હતી. પોસીલે સાવચેતીના પગલાં રૂપે ડ્રોન સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ સક્રિય હતાં, અને SRPF અને ક્વિક રિસ્પોન્સ ટીમો ફ્લેગ માર્ચ કરી હતી. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બાંધછોડ ન થાય તે માટે 6 આઈપીએસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ 17 એસીપી, 30 પીઆઈ અને 70 પીએસઆઈને ફરજ સોંપવામાં આવી હતી.

સરકારે આજી નદીના કાંઠે આશરે 93000 ચોરસ મીટરની સરકારી જગ્યા પરનો દબાણો કરવાની યોજના બનાવી હતી. ડિમોલિશન કાર્યવાહી માટે 100 જેસીબી, 84 ટ્રેક્ટર, 7 હિટાચી, 42 ગેસ કટર અને 14થી વધુ ડમ્પરોનો કાફલો સજ્જ કરાયો હતો.

 

LEAVE A REPLY