ભૂકંપને પગલે સાવચેતીભર્યા સ્થળાંતર દરમિયાન અંધાધૂંધી ફેલાઈ જતાં કરાચીની જેલમાંથી ઓછામાં ઓછા 216 કેદીઓ ભાગી ગયા હતાં. કરાચીની માલીર જેલમાં સોમવારે રાત્રે બનેલી ઘટનામાં એક કેદીનું મોત થયું હતું અને ત્રણ અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોર્પ્સના કર્મચારીઓ અને એક જેલ સ્ટાફ ઘાયલ થયો હતો.
જેલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, 80થી વધુ કેદીઓને ફરીથી ઝડપી લેવામાં આવ્યાં હતાં. ૧૩૫ કેદીઓ હજુ પણ ફરાર છે, અને શોધખોળના પ્રયાસો ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કરાચીમાં ધરતીકંપના સંખ્યાબંધ આંચકા અનુભવાયા હતાં. જેલ સુપરિન્ટેન્ડેન્ટ અરશદ શાહે જણાવ્યું હતું કે ભૂકંપ દરમિયાન 600થી વધુ કેદીઓને તેમના બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. અરાજકતા વચ્ચે 216 લોકો ભાગી જવામાં સફળ રહ્યા હતાં.
અધિકારીઓએ બાકીના ભાગી ગયેલા લોકોને શોધવા માટે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. સિંધના ગૃહ પ્રધાન ઝિયા-ઉલ-હસન લંજરે આ ઘટનાને તાજેતરના વર્ષોમાં “સૌથી ગંભીર જેલબ્રેક” ગણાવી હતી. ટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરાશે.
જેલ અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે ઘટના સમયે માલીર જેલમાં 6,000થી વધુ કેદીઓ હતાં, જેમાંથી મોટાભાગના ડ્રગ્સ સંબંધિત કેસોમાં સંડોવાયેલા હતાં.
