સેન્ડ્રિંગહામમાં શિકાર કરવા માટે પક્ષીઓ ન મળવાથી કિંગ ચાર્લ્સ ગુસ્સે થયા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત, આ નારાજગીના કારણે ગેમકીપરનો ભોગ લેવાયો હોવાનું કહેવાય છે. એક અખબારી રીપોર્ટમાં જણાવ્યા મુજબ 76 વર્ષીય કિંગ ચાર્લ્સ સેન્ડ્રિંગહામમાં શિકાર કરવા માટે તેતર પક્ષીની અછતથી નારાજ થયા છે. રાજવી પરિવારના નોર્ફોક એસ્ટેટમાં શિકાર કરવા માટે પક્ષીઓની સંખ્યા ઘટી રહી હોવાથી કિંગ ચાર્લ્સ નાખુશ છે. હકીકતમાં, આવી અછતના કારણે કિંગ ચાર્લ્સ શિકાર નહીં કરી શકતા હોવાથી તેઓ એટલા નારાજ છે કે સેન્ડ્રિંગહામમાં લાંબા સમયથી કામ કરી રહેલા ગેમકીપરની હકાલપટ્ટી કરવામાં આવી છે. સેન્ડ્રિંગહામ એ બ્રિટિશ રાજવી પરિવારના અંગત નિવાસસ્થાન તરીકે જાણીતું છે અને ખાસ કરીને રાજા ચાર્લ્સ અને તેમની અગાઉ રાણી એલિઝાબેથ સાથે જોડાયેલું છે. રાજવી પરિવાર પરંપરાગત રીતે ત્યાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરે છે. જોકે, આજે આ શિકારને એક વિવાદાસ્પદ પ્રવૃત્તિ માનવામાં આવે છે, અને તે લાંબા સમયથી સેન્ડ્રિંગહામમાં રાજવી પરિવારના જીવનનો એક મુખ્ય ભાગ રહ્યો છે. ખાસ તો, બ્રિટિશ ઉચ્ચ વર્ગ પરંપરાગત રીતે તેતરનો શિકાર શિયાળમાં કરે છે, અને સેન્ડ્રિંગહામમાં દસકાઓથી અનેક રાજવી શિકાર પાર્ટીઓનું આયોજન થાય છે. આજે તે ઇંગ્લેન્ડમાં શિકાર માટે બાકી રહેલા થોડા જંગલી પક્ષીઓમાં તે સ્થાન ધરાવે છે, એટલે કે તેતરનો ઉછેર શિકાર માટે કરવામાં આવે છે. દર વર્ષે, રાજવી પરિવાર સેન્ડ્રિંગહામ ખાતે પરંપરાગત બોક્સિંગ ડે શૂટિંગમાં ભાગ લે છે. પરંતુ નારાજ થયેલા કિંગ ચાર્લ્સે આ વર્ષે શૂટિંગ પાર્ટી રદ્ કરવાની ધમકી આપી છે અને શિકાર માટે પક્ષીઓની અછતને કારણે પ્રાચીન પરંપરાને અટકાવી છે.

LEAVE A REPLY