(PTI Photo)

ગુજરાત પોલીસે રવિવારે અમદાવાદની મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ૧૨ જૂને ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના કાટમાળને એરપોર્ટ પરિસરમાં ખસેડ્યો હતો. આ કાટમાળ ક્રેશ સ્થળથી GUJSAIL (ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની) બિલ્ડિંગમાં ખસેડાયો હતો અને તે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની કસ્ટડીમાં રહેશે, જે દુર્ઘટનાની તપાસ કરી રહી છે.

અમદાવાદ સેક્ટર 2ના સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, “અમે અહીં ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનના કાટમાળને આજથી ગુજસેલ બિલ્ડિંગમાં ખસેડવાનું શરૂ કરી દીધું છે.સમગ્ર કાટમાળને ખસેડવામાં 48થી 72 કલાક લાગશે.

AAIB ઉપરાંત, યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) વિમાન દુર્ઘટનાની સમાંતર આંતરરાષ્ટ્રીય તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે.

LEAVE A REPLY