(Konark Corps-X/ANI Photo)

અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો પ્રારંભિક તપાસ અહેવાલ 11 જુલાઈ સુધી આવવાની ધારણા છે. આ રીપોર્ટમાં વિમાન ક્રેશના સંભવિત કારણોનો પણ સમાવેશ થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રિપોર્ટમાં બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન, ક્રૂ, અમદાવાદ એરપોર્ટ પરની સ્થિતિ અને 12 જૂનના રોજ હવામાન વિશે વિગતો શામેલ હશે.

કાટમાળ વિશેની વિગતો પણ રિપોર્ટનો ભાગ હશે, તેમજ ઇન્ચાર્જ તપાસકર્તાનું નામ પણ હશે. આ રીપોર્ટમાં તપાસની પ્રગતિનો ચાર્ટ હશે, ભાવિ પગલાંની રૂપરેખા આપશે અને વધુ તપાસની જરૂર હોય તેવા ક્ષેત્રોને પ્રકાશિત કરશે.
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ની માર્ગદર્શિકા મુજબ, ભારતે ક્રેશ થયાના 30 દિવસની અંદર પ્રારંભિક અહેવાલ ફાઇલ કરવો જરૂરી છે.

થોડા દિવસો પહેલા, નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે ક્રેશમાં તોડફોડ સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ તેની સંપૂર્ણ તપાસ ચાલુ કરી છે. આ તમામ તમામ એન્ગલનો સમાવેશ કરાશે. જેમાં કોઈપણ સંભવિત તોડફોડનો પણ સમાવેશ થાય છે. CCTV ફૂટેજની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તમામ એન્ગલનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે… ઘણી એજન્સીઓ તેના પર કામ કરી રહી છે

LEAVE A REPLY