FILE - Piyush Goyal

અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક ટેરીફને રદ કર્યા પછી ટ્રમ્પે વિશ્વના દેશો પર 15 ટકા ટેરિફ લાદવાની જાહેર કરતાં ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટેની વાટાઘાટો પણ અટવાઈ ગઈ હતી. અગાઉ થયેલી સમજૂતી મુજબ સોમવાર, 23 ફેબ્રુઆરીએ  વોશિંગ્ટનમાં બંને દેશોના મુખ્ય વાટાઘાટકારો મળવાના હતાં અને વેપાર કરારની અંતિમ શરતો પર ચર્ચાવિચારણાં કરવાના હતાં.

રવિવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાએ વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટેની સોમવારથી વોશિંગ્ટનમાં યોજાનારી તેમના મુખ્ય વાટાઘાટકારોની સૂચિત બેઠક ફરીથી શેડ્યૂલ કરવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષોનું માનવું છે કે તાજા ઘટનાક્રમો અને તેની અસરોને સમજી લેવામાં આવે પછી ભારતીય ટીમે અમેરિકાનો પ્રવાસ નિશ્ચિત કરવો જોઈએ.ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીએ અમેરિકામાં ત્રણ દિવસીય બેઠક શરૂ કરવાની હતી.

ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર સહમતી થઈ ગઈ હતી અને તેના અંગે ફ્રેમવર્ક અને ફેક્ટશીટ પણ જાહેર થઈ ગયા હતા. ભારતીય નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કલમ ૧૨૨ હેઠળ ૧૫૦ દિવસ માટે તમામ દેશો પર ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ નાંખ્યો છે ત્યારે ભારતને આ ટેરિફથી કોઈ મોટું નુકસાન નહીં થાય. દુનિયાના ૯૦થી વધુ દેશો પર એક સમાન ૧૫ ટકા ટેરિફ હોય તો સ્પર્ધાત્મક રીતે ભારતને કોઈ નુકસાન થવાનું નથી. ભારતીય નિકાસકારોને અન્ય દેશોના નીચા દર સામે સ્પર્ધાનો સામનો નહીં કરવો પડે. વધુમાં આ ૧૫ ટકા ટેરિફ પણ ૧૫૦ દિવસ માટે છે. તેને આગળ વધારાશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

/* */

 

 

LEAVE A REPLY