પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્દ્રીય બજેટ 2026માં બિન-નિવાસી ભારતીયો માટે ભારતમાં પ્રોપર્ટી વેચાણના સોદાના ટેક્સ પાલનના નિયમ સરળ બનાવવાની દરખાસ્ત કરાઈ છે. હવેથી એનઆરઆઇની પ્રોપર્ટી ખરીદવા માટે નિવાસી ભારતીયોએ ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર (TAN) મેળવવો પડશે. તેના બદલ PAN-આધારિત ચલણનો ઉપયોગ કરીને TDS કાપીને અને જમા કરાવી શકશે.

હાલમાં બિન-નિવાસી વેચાણકર્તા પાસેથી સ્થાવર મિલકત ખરીદતા નિવાસી વ્યક્તિઓ અથવા હિન્દુ અવિભાજિત પરિવારો (HUFs)ને સ્રોત પર કર કાપવા (ટીડીએસ) માટે TAN મેળવવો પડે છે. બજેટમાં આ જરૂરિયાતને દૂર કરવાની દરખાસ્ત છે. આનો હેતુ એક વખતના વ્યવહારો માટે નિયમ પાલનનો બોજ ઘટાડવાનો છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીગર સુબાએ જણાવ્યું હતું કે વર્તમાન સિસ્ટમમાં નિવાસી વ્યક્તિ/HUF દ્વારા TAN મેળવવો પડે છે. આ નિયમને દૂર કરાયો છે. તે આવકાર્ય પરિવર્તન છે, કારણ કે કારણ કે TANનો આ એક જ વ્યવહાર સિવાય બીજો કોઈ વૈકલ્પિક ઉપયોગ નથી. હવે, ખરીદદારો PANનો ઉપયોગ કરીને એનઆરઆઇને લાગુ પડતો ટેક્સ કાપશે અને જમા કરશે.

નોંધનીય છે કે આ જોગવાઈઓ 1 ઓક્ટોબર, 2026થી લાગુ થશે. આનાથી વેચાણ સોદો પૂર્ણ કરવા અને વેચાણ દસ્તાવેજની નોંધણી માટેનો એકંદર સમય ઓછો થશે, જેનાથી બિન-નિવાસી વેચાણકર્તાઓને રાહત મળશે.\

હાલના નિયમો હેઠળ ભારત રહેતા વ્યક્તિ ભારતમાં જ રહેતા વ્યક્તિ પાસેથી પ્રોપર્ટી ખરીદી તો TDS કપાત માટે TAN મેળવવાની જરૂર નથી. જોકે વેચનાર બિન-નિવાસી હોય ત્યારે ખરીદદારોએ TAN મેળવવું આવશ્યક છે.

LEAVE A REPLY