યુકે સ્થિત ફિલાન્થ્રોપિસ્ટ અને ઉદ્યોગસાહસિક પ્રમોદભાઇ ઠક્કરને મુંબઈમાં LIBF એક્સ્પો 2026માં વૈશ્વિક પરોપકાર, સમુદાયની સેવા અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની તેમની આજીવન પ્રતિબદ્ધતાને માન્યતા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને ડેપ્યુટી લોર્ડ લેફ્ટનન્ટ પ્રોફેસર સર નીલેશ સામાણી સહિત અન્ય પ્રતિષ્ઠિત અગ્રણોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય એક્સ્પોમાં 25થી વધુ દેશોના 35,000થી વધુ મુલાકાતીઓ અને પ્રતિનિધિઓ આવ્યા હતા. કાર્યક્રમનું નેતૃત્વ LIBF ના અધ્યક્ષ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના નેતૃત્વ, બોર્ડ અને સ્વયંસેવકોના સમર્પણ સાથે, જબરદસ્ત સફળતા આપવા બદલ વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી.
શ્રી ઠક્કરને તેમના પત્ની જસુબેન ઠક્કર અને સહ-ટ્રસ્ટી કેતન કોટેચા અને તેમના પત્ની દિતિ કોટેચા સાથે, મહાનુભાવો, બિઝનેસમેન અને સામાજિક ઉદ્યોગસાહસિકોના વિશાળ પ્રેક્ષકો સમક્ષ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો હતો.
હેલ્થ કેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચાર દાયકા કરતા વધુ સમયની કારકિર્દી ધરાવનાર પ્રમોદભાઇ ઠક્કરે યુકેની મુખ્ય સંસ્થાઓને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આમાં સ્વૈચ્છિક સેવા માટે કિંગ્સ એવોર્ડ મેળવનાર જલારામ મંદિર, લેસ્ટર; શ્રીનાથધામ નેશનલ હવેલી, હેરો અને જૈન અને હિન્દુ ઓર્ગન ડોનેશન એલાયન્સનો સમાવેશ થાય છે. પ્રોમોદભાઇએ શ્રીનાથધામ નેશનલ હવેલી, હેરો માટે £4.1 મિલિયનના કોમ્યુનિટી સેન્ટરના સંપાદનનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે જૈન અને હિન્દુ ઓર્ગન ડોનેશન એલાયન્સના તેઓ સ્થાપક ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.
સન્માન સ્વીકારતા, ઠક્કરે કહ્યું કે આ માન્યતા એવા સ્વયંસેવકો અને ભક્તોને મળે છે જેમનું સમર્પણ સમુદાય સેવા પહેલને શક્તિ આપવા માટે ચાલુ રહે છે.















