પ્રતીકાત્મક તસવીર

લંડનના ક્રોયડનમાં એક ઘરમાં આગ લાગવાથી બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે આ ઘટનામાં ત્રીજો વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 23 ફેબ્રુઆરીના રોજ સાઉથ લંડનના ક્રોયડનમાં એક મકાનમાં આગ લાગી હતી, જેમાં તેલંગણના નિઝામાબાદના 26 વર્ષીય કામીનેની સાઈ શ્રીકાર અન્ય બે વિદ્યાર્થીઓ સાથે ભાડે રહેતો હતો. આગના કારણે ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને ક્રોયડન યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘણા દિવસોની સારવાર પછી શ્રીકારને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો અને પછી તેનું મૃત્યુ થયું હતું. નિઝામાબાદમાં રહેતા તેના પરિવારે સત્તાધિશોને તેમના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવાની માગણી કરી હતી. તેમની સાથેના અન્ય એક વિદ્યાર્થી-આંધ્રપ્રદેશના કાકીનાડાના 28 વર્ષીય ગંતી અભિષેકનું ધુમાડાની ગૂંગળામણને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રીજો વિદ્યાર્થી ઘરમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો પરંતુ તેને ઇજા થઇ હતી અને તે સારવાર હેઠળ છે.

LEAVE A REPLY