March 10, 2026. REUTERS/Bhawika Chhabra

ઈરાન યુદ્ધને કારણે રસોઈ ગેસનો પુરવઠો મર્યાદિત થઈ ગયો હોવાથી મંગળવારે ભારતભરના રેસ્ટોરન્ટ્સ અને હોટલોએ સંભવિત શટડાઉનની ચેતવણી ઉચ્ચારી હતી. સરકારે હોટેલ ઉદ્યોગની વિનંતીને ધ્યાનમાં રાખીને એક સમિતિની પણ રચના કરી છે.

ઈરાન પર યુ.એસ.-ઈઝરાયલ યુદ્ધના કારણે અખાત અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે ઉર્જાના ભાવ અને પરિવહન ખર્ચમાં વધારો થયો છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના વિશ્વના બીજા સૌથી મોટા આયાતકાર દેશ ભારતે ગયા અઠવાડિયે ઇમર્જન્સી સત્તાઓનો ઉપયોગ કરીને રિફાઇનરોને સ્થાનિક ઉપયોગ માટે ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો હતો.

મેક્સીકન ફૂડ ચેઇન કેલિફોર્નિયા બુરિટોના સ્થાપક બર્ટ મુલરે જણાવ્યું હતું કે અમારી પાસે બે દિવસ માટે LPG સ્ટોક છે. અમે આકસ્મિક પરિસ્થિતિઓ પર કામ કરી રહ્યા છીએ. આ ફૂડ ચેઇન ભારત બેંગલુરુ અને ચેન્નાઈથી લઇને ઉત્તરમાં દિલ્હી અને નોઈડા સુધી 100થી વધુ સ્ટોર્સ છે.

/* */

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુખ્યત્વે તેના સંચાલન માટે કોમર્શિયલ LPG પર નિર્ભર છે. જો સપ્લાયમાં વિક્ષેપ આવશે તો શટડાઉન તરફ દોરી જશે. ભારતીય કંપનીઓએ લગભગ એક વર્ષમાં પહેલી વાર LPG ના ભાવમાં વધારો કર્યો છે, કારણ કે યુદ્ધને કારણે વાર્ષિક LPG વપરાશના બે તૃતીયાંશ ભાગને પૂર્ણ કરતી આયાતની કિંમતોમાં વધારો થયો છે.

ભારતને એલએનજી ગેસનો સૌથી વધુ પુરવઠો કતારમાંથી મળે છે. જોકે ઇરાનને હુમલાને કારણે કતારે ઉત્પાદન બંધ કર્યું છે.

 

 

LEAVE A REPLY