FILE- Air India counter

ઇરાનમાં યુદ્ધને પગલે એર ઇન્ડિયા સહિતની એશિયાની એરલાઇન્સો વિમાન ટિકિટના ભાવમાં વધારો કરી રહી છે અને કન્ટીજન્સી યોજનાઓ પણ બનાવી રહી છે. ભારતીય વિમાન કંપનીઓએ લાંબા અંતરના રૂટ પર ભાડામાં લગભગ 15 ટકાનો વધારો કરી દીધો છે અને વધુ વધારો કરવાની વિચારણા કરી રહી છે. એશિયાની કેટલીક લો-કોસ્ટ એરલાઇનો વિમાનનું ઇંધણ ખૂબ મોંઘું થઈ જાય અથવા તેની પહોંચ મુશ્કેલ થઈ જાય તો વિમાનોને ગ્રાઉન્ડેડ કરવાની પણ તૈયારી કરી છે.

એર ઇન્ડિયા ગ્રુપે મંગળવારે જાહેરાત કરી હતી કે તે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ લાદશે, જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ હાલના સરચાર્જ કરતાં $10-50 વધારાના ચૂકવવા પડશે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 12 માર્ચથી દરેક ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર રૂ.399નો ફ્યુઅલ સરચાર્જ વસૂલ કરવાની જાહેરાત કરી હતી. આ નવા ફ્યુઅલ સરચાર્જનો અમલ તબક્કાવાર ધોરણે કરાશે.

ઇંધણ સરચાર્જ લાદવા અંગે ખેદ વ્યક્ત કરતાં એર ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે આવા સરચાર્જ લાદવામાં ન આવે કેટલીક ફ્લાઇટ્સ સંચાલકીય ખર્ચ પણ વસૂલ કરી શકે તેમ નથી. અને તેનાથી ફ્લાઇટ્સ રદ કરવી પડશે. પ્રથમ તબક્કામા 12 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ટિકિટ માટે રૂ.399નો ફ્યુ્અલ સરચાર્જ અમલી બનશે. આ પછી સાર્ક દેશોની ફ્લાઇટ્સ માટે તેનો અમલ થશે.

પશ્ચિમ એશિયાની ફ્લાઇટ્સ માટે, ઇંધણ સરચાર્જ 10 ડોલર હશે અને આફ્રિકાની ફ્લાઇટ્સ માટે તે 30 ડોલર વધી 90 ડોલર તથા દક્ષિણપૂર્વ એશિયા સેવાઓ માટે 20 ડોલર વધીને 60 ડોલર થશે. આ બધા ફેરફારો 12 માર્ચથી અમલમાં આવશે, જેમાં સિંગાપોર જતી અને આવતી ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. હાલમાં, સિંગાપોર સેવાઓ માટે કોઈ ઇંધણ સરચાર્જ નથી.

બીજા તબક્કામાં, એર ઇન્ડિયા 18 માર્ચથી યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ્સ માટે ફ્યુઅલ સરચાર્જ 25 ડોલરથી વધારીને 50 ડોલર કરશે.યુરોપની ફ્લાઇટ્સ માટે ફ્યુઅલ સરચાર્જ 100 ડોલરથી વધીને 125 ડોલર થશે, અને ઉત્તર અમેરિકાની ફ્લાઇટ્સ માટે તે જ 150 ડોલરથી વધી 200 ડોલર થશે.

LEAVE A REPLY