FILE PHOTO: U.S.Chris Drzazgowski/U.S. Air Force/Handout via REUTERS

યુએસ એરિયલ રિફ્યુઅલિંગ ફોર્સને શુક્રવારે બે મોટા ફટકા પડ્યા હતાં. ઇરાકમાં તેનું એક રિફ્યુઅલિંગ વિમાન તૂટી પડતા છ સૈનિકોના મોત થયા હોવાની શુક્રવારે પુષ્ટી થઈ હતી. ઇરાનના મિસાઇલ હુમલામાં પ્રિન્સ સુલતાન એર બેઝ પર 5 રિફ્યુઅલિંગ વિમાનોને પણ નુકસાન થયું હતું.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ પુષ્ટિ કરી હતી કે ગુરુવારે પશ્ચિમ ઇરાકમાં બીજા વિમાન સાથે થયેલી દુર્ઘનામાં KC-135 સ્ટ્રેટોટેન્કરમાં સવાર તમામ છ ક્રૂ મેમ્બર માર્યા ગયાં હતાં. આ વિમાનને ઇરાનને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પેન્ટાગોને કહ્યું કે દુશ્મના હુમલામાં આ નુકસાન થયું નથી. 28 ફેબ્રુઆરી પછી અત્યાર સુધી અમેરિકાના કુલ 13 સૈનિકોના મોત થયા છે.

બીજી તરફ ઇરાન સાથેનું યુદ્ધ લાંબુ ખેંચાઈ રહ્યું છે ત્યારે અમેરિકાએ મધ્યપૂર્વમાં વધુ 2,500 મરીન અને એક એસોલ્ટ જહાજ USS ત્રિપોલી મધ્યપૂર્વમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે 31મા મરીન એક્સપિડિશનરી યુનિટ અને જહાજ યુએસએસ ત્રિપોલીને મધ્ય પૂર્વ તરફ જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY