પી કુમાર
ભારત સરકારે ગુરુવારે યુકેમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે પીઢ રાજદ્વારી પેરિયાસામી કુમારની નિમણુંક કરી હતી. પી કુમારન બેઇજિંગમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયેલા હાલના યુકેના હાઇ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીનું સ્થાન લેશે.. (ANI Video Grab)

ભારત સરકારે ગુરુવારે યુકેમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે પીઢ રાજદ્વારી પેરિયાસામી કુમારની નિમણુંક કરી હતી. પી કુમારન બેઇજિંગમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયેલા હાલના યુકેના હાઇ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીનું સ્થાન લેશે.

૧૯૯૨ બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી કુમારન હાલમાં વિદેશ મંત્રાલય (MEA)માં સચિવ (ઇસ્ટ) તરીકે સેવા આપી રહ્યાં છે. પી કુમારન પાસે IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી.ટેક ડિગ્રી છે અને તેમને વિવિધ પ્રદેશો અને ભૂમિકાઓમાં વ્યાપક અનુભવ છે. વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેમના લગ્ન રીતુ કુમારન સાથે થયા છે અને આ દંપતીને બે પુત્રો છે.

તેમણે કૈરોમાં ભારતીય દૂતાવાસમાં ત્રીજા સચિવ (૧૯૯૪-૧૯૯૭) તરીકે રાજદ્વારી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી ત્રિપોલીમાં બીજા સચિવ (૧૯૯૭-૨૦૦૦) અને બ્રસેલ્સમાં પ્રથમ સચિવ (૨૦૦૦-૨૦૦૩) તરીકે પોસ્ટિંગ મળ્યું હતું. તેમણે ૨૦૦૩થી ૨૦૦૫ દરમિયાન વિદેશ મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી (યુરોપ પશ્ચિમ) તરીકે સેવા આપી હતી.

કુમારન બેંગલુરુમાં પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી તરીકે સેવા આપી (૨૦૦૫-૨૦૦૭) હતા. તેમને ઇસ્લામાબાદમાં કાઉન્સેલર (૨૦૦૭-૨૦૦૯) તરીકે પણ સેવા આપી હતી. આ પોસ્ટ પર વોશિંગ્ટનમાં પણ (૨૦૦૯-૨૦૧૧) ભૂમિકા ભજવી હતી. તેઓ ૨૦૧૧થી ૨૦૧૪ સુધી કોલંબોમાં ડેપ્યુટી હાઈ કમિશનર હતાં.

અગાઉ યુકેમાં ભારતના હાઇ કમિશનર તરીકે સેવા આપી રહેલા વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ દોરાઈસ્વામીની ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્તિ કરાઈ હતી. ૧૯૯૨ બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી દોરાઇસ્વામી ટૂંક સમયમાં આ નવો કાર્યભાર સંભાળે તેવી અપેક્ષા છે. તેઓ પ્રદીપ કુમાર રાવતનું સ્થાન લેશે. રાવત માર્ચ ૨૦૨૨થી ચીનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે.