REUTERS/Amit Dave/File Photo

એર ઇન્ડિયા ગ્રુપે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે રૂ.299થી રૂ.899 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (કેટલાક રૂટ સિવાય) માટે  24થી 280  ડોલર સુધીનો ફ્યુઅલ સરચાર્જ લાદવાની મંગળવાર, 7 એપ્રિલે જાહેરાત કરી હતી.  8 એપ્રિલથી અમલમાં આવનારો સુધારેલો ફ્યુઅલ સરચાર્જ એરલાઇનની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ પર પણ લાગુ થશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અને જાપાન, હોંગકોંગ અને દક્ષિણ કોરિયા જેવા ફાર ઇસ્ટના સ્થળોએ જતી આવતી ફ્લાઇટ્સ પર ઇંધણ સરચાર્જમાં સુધારાની સલાહ યોગ્ય સમયે જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધીન છે.ઇન્ડિગો જેવી ભારતની બીજી એરલાઇન્સોએ પણ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે.

ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના તાજેતરના ડેટાને ટાંકીને એરલાઇને જણાવ્યું હતું કે 27 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વૈશ્વિક જેટ ઇંધણનો ભાવ વધીને પ્રતિ બેરલ 195.19 ડોલર થયો છે, જે ફેબ્રુઆરીના અંતમાં 99.40 ડોલર હતો, જે લગભગ 100 ટકાનો ઉછાળો દર્શાવે છે.એરલાઇનના કુલ ખર્ચમાં ATFનો હિસ્સો લગભગ 40-45 ટકા હોય છે.