
ભારતમાં 2026માં ચોમાસાની સિઝન દરમિયાન ત્રણ વર્ષમાં પહેલી વાર સરેરાશ કરતા ઓછા વરસાદ પડવાની સંભાવના છે. ચાલુ વર્ષને નબળા ચોમાસાની આ આગાહીથી ઈરાન યુદ્ધને કારણે ફુગાવા સામે લડી રહેલા એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં કૃષિ ઉત્પાદન અને વૃદ્ધિ અંગે ચિંતા ઊભી થઈ હતી.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ વર્ષે લાંબા ગાળાના સરેરાશના 92 ટકા વરસાદ પડવાની ધારણા છે. ભારતમાં ચોસામાના ચાર મહિના દરમિયાન સામાન્ય રીતે 87 સેમી (35 ઇંચ) વરસાદ થાય તો તેને સામાન્ય બનાવામાં આવતું હોય છે. ભારતીય હવામાન વિભાગ ચાર મહિનાની ઋતુ માટે ૫૦ વર્ષની સરેરાશ ૮૭ સેમી (૩૫ ઇંચ)ના ૯૬%થી ૧૦૪ ટકા સુધીના વરસાદને સામાન્ય ચોમાસુ માને છે.
ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જૂન પછી અલ નીનો વિકસિત થવાની સંભાવના ખૂબ જ છે. અલ નીનાથી વરસાદને અસર થતી હોય છે. ભૂતકાળમાં, ભારતમાં મોટાભાગના અલ નિનો વર્ષો દરમિયાન સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે ક્યારેક ગંભીર દુષ્કાળ પણ પડ્યો હતો.
અગાઉ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચાલુ વર્ષે જૂન-સપ્ટેમ્બર દરમિયાન લાંબા ગાળાના સરેરાશના 94 ટકા વરસાદની આગાહી કરી હતી.













