REUTERS/Danish Siddiqui/File Photo

છત્તીસગઢના શક્તિ જિલ્લામાં મંગળવારે વેદાંત ગ્રુપના પાવર પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 કામદારોના મોત થયા હતા અને 40થી વધુ ઘાયલ થયા હતાં. કેટલાંક કામદારો દુર્ઘટના સ્થળ પર ફસાયેલા હોવાની આશંકા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર સિંઘીતરાય ગામમાં વેદાંત લિમિટેડ પાવર પ્લાન્ટમાં બપોરે બોઈલર ટ્યુબમાં વિસ્ફોટ થયો હતો. માહિતી મળતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતાં.

ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે બાકીના લોકોએ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આસપાસના વિસ્તારમાંથી કામદારો અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતાં.

રાયગઢના એસડીએમ મહેશ શર્માએ જણાવ્યું હતું કે દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ કરાઈ છે. છત્તીસગઢના મુખ્યપ્રધાને માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલ થયેલા ઝડપથી સાજા તેવી પ્રાર્થના કરી હતી.