ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ખુલ્લા મેદાનમાં લગ્ન પ્રસંગ સહિત કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે તો કોઈ પણ પ્રકારની લિમિટ રાખવામાં આવી નથી. સમારંભ યોજનાર ગમે તેટલા વ્યક્તિઓને આંમત્રિત કરી શકે છે. પરંતુ માસ્ક રહેવું ફરજીયાત છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ખુલ્લા કે જાહેર મોટા મેદાનમાં સંખ્યાની મર્યાદાની ગાઈડલાઈન રહેશે નહી.