Aliya Bhatt
(Photo by Pascal Le Segretain/Getty Images)

રણબીર કપૂરને એવું લાગે છે કે હજી સુધી તેનાં લગ્ન થયાં જ નથી. રણબીર અને આલિયા ભટ્ટનાં લગ્ન 14 એપ્રિલે નજીકનાં પરિવારજનો અને મિત્રોની હાજરીમાં થયાં હતાં. આ બન્ને ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આલિયા તેના હોલીવુડના પ્રોજેક્ટમાં બિઝી છે. રણબીર મનાલીમાં ‘એનિમલ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ બન્ને છેલ્લાં પાંચ વર્ષથી સાથે જ રહેતાં હતાં.

લગ્ન બાદ પણ તેમના જીવનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી આવ્યું એવું જણાવતાં રણબીરે કહ્યું કે, ‘એવો મોટું કોઈ પરિવર્તન આવ્યું નથી. અમે પાંચ વર્ષથી સાથે છીએ. અમને વિચાર આવ્યો કે લગ્ન કરી લઈએ તો સારું. જોકે અમારાં પણ કેટલાક પ્રોફેશનલ કમિટમેન્ટ્સ હતાં. લગ્નના બીજા જ દિવસે અમે બન્ને કામ પર પરત ફર્યાં હતાં. આલિયા શૂટિંગ માટે ગઈ અને હું મનાલી ગયો હતો. તે જ્યારે લંડનથી પાછી ફરશે ત્યારે મારી ફિલ્મ ‘શમશેરા’ રિલીઝ થવાની છે. અમે એક અઠવાડિયાની રજા લેવાનું વિચાર્યું છે. અહેસાસ જ નથી થઈ રહ્યો કે અમારાં લગ્ન થઈ ગયાં છે.’