ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હેરો ખાતે યોજાઇ રહેલી દેવી ચિત્રલેખાજી ના કંઠે થઇ રહેલી શ્રીમદ  ભાગવત કથામાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. સિદ્ધાશ્રમના સંસ્થાપક શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ એમનું સ્વાગત કરી આશિર્વદ પાઠવ્યા હતા. રૂપાણીજીએ ભગવાન શિવના પારદ શિવલિંગનો અભિષકે કરી શાંતિનો અનુભવ કર્યો હતો. આ કથા આ કથા  તા. ૧૪ ઑગષ્ટ  સુધી ચાલુ રોજ સાંજે ૩.૩૦થી ૬.૩૦ દરમિયાન ચાલુ રહેશે. જેનું જીવંત પ્રસારણ સંસ્કાર TV – sky 725 પર થઇ રહ્યું છે. પવિત્ર શ્રાવણ મહિનામાં ભાગવતનું રસપાન કરવા સૌને આમંત્રણ છે. સંપર્ક: ૦૨૦ ૮૪૨૬ ૦૬૭૮