વડોદરમાં શુક્રવારે અટલાદર પાદરા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનું પડીકું વળી ગયું હતું.

મીડિયા અહેવાલો પ્રમાણે રિક્ષામાં સવાર પરિવારના સભ્યો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. રિક્ષામાં સવાર 3 બાળકો અને તેમના માતા-પિતા લગ્ન પ્રસંગમાં હાજર આપી પરત ફરી રહ્યા હતા. ત્યારે સામ સામે ગાડી અને રિક્ષાની ટક્કર થતા અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોએ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 2 લોકોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બીજીબાજુ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ ચાલુ કરી હતી.

મીડિયા અહેવાલ મુજબ મૃતકોમાં અરવિંદ પૂનમ નાયક, કાજલ અરવિંદ નાયક, શિવાની અલ્પેશ નાયક, ગણેશ અરવિંદ નાયક અને દ્રષ્ટિ અરવિંદ નાયકનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

twelve + 1 =