TV actor Aditya Singh Rajput's body found
(ANI Photo)

ટીવી અભિનેતા, મોડલ અને કાસ્ટિંગ કો-ઓર્ડિનેટર આદિત્ય સિંહ રાજપૂત મુંબઈના અંધેરી વિસ્તારમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઉંમર 32 વર્ષની હતી. અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રાજપૂતના મૃત્યુનું કારણ જાણી શકાય ન  હતું.

મીડિયા રીપોર્ટ મુજબ 22 મેએ ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્ય મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો હતો. બિલ્ડિંગના 11મા માળે રહેતા આદિત્યની ડેડ બોડી સૌથી પહેલા તેના મિત્રએ જોઈ હતી. તે બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. તેના મિત્રએ તરત જ ત્યાંના ચોકીદારને જાણ કરી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર સુધી પહોંચે તે પહેલા જ મોત થયું હતું. ડ્રગ્સના ઓવરડોઝના કારણે આદિત્યનું થયું હોવાની અટકળો ચાલુ થઈ હતી.

આદિત્યએ ‘ક્રાંતિવીર’, ‘મૈંને ગાંધી કો નહીં મારા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આદિત્ય છેલ્લાં કેટલાક સમયથી કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કારકિર્દી બનાવી રહ્યો હતો. તે રિયાલિટી શો, સ્પ્લિટ્સવિલા 9 નો પણ ભાગ હતો. આદિત્ય સિંહ રાજપૂત લવ, આશિકી, કોડ રેડ, આવાઝ સીઝન 9, બેડ બોય સીઝન 4 અને અન્ય સહિતના ટીવી પ્રોજેક્ટનો ભાગ હતો.

LEAVE A REPLY

18 − fifteen =