REUTERS/Bing Guan

એર ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે 3 માર્ચ માટે મધ્યપૂર્વના દેશોમાં જતી-આવતી તેની તમામ ફ્લાઇટ્સ સ્થગિત રહેશે, જોકે તેને અમેરિકા, કેનેડા, યુરોપ અને યુકેમાં તેની તમામ શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ ફરી ચાલુ કરી છે.

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાને કારણે ભારતીય એરલાઇન્સે 28 ફેબ્રુઆરીથી શરૂ થતા ત્રણ દિવસમાં 1,117 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. મધ્ય પૂર્વમાં અનેક હવાઈ ક્ષેત્રો બંધ રહેવાને કારણે એર ઈન્ડિયાએ આ પ્રદેશમાં જતી અને આવતી તેની તમામ ફ્લાઇટ્સનું કામચલાઉ સસ્પેન્સન 3 માર્ચ 2026ના રોજ 2359 કલાક (IST) સુધી લંબાવ્યું છે.

એરલાઇને જણાવ્યુ હતું તે મધ્ય પૂર્વમાં બદલાતી પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ અને મૂલ્યાંકન કરી રહી છે તથા યુએસએ, કેનેડા, યુરોપ અને યુકેમાં તેના તમામ ડેસ્ટિનેશનો પર શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ ચાલુ કરી છે.

દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસ 3 માર્ચ (મંગળવાર) થી મસ્કત માટેની ફ્લાઇટ્સ શરૂ કરશે. કટોકટીને કારણે સેવાઓ સ્થગિત કર્યા પછી તે પ્રદેશમાં ફ્લાઇટ્સ ફરી શરૂ કરનારી પ્રથમ ભારતીય કેરિયર હશે.

 

 

LEAVE A REPLY