પાકિસ્તાન
પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ભારતમાં વિમાની દુર્ઘટનામાં થઈ રહેલાં ચિંતાજનક વધારાને પગલે ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકારી સંસ્થા ડીજીસીએ નોન-શિડ્યુઅલ ફ્લાઈટ ઓપરેટર્સ માટે સુરક્ષાના કેટલાંક આકરા પગલાં જાહેર કર્યા હતાં.
નવા નિયમો મુજબ એરક્રાફ્ટ મેઈન્ટેનન્સની વિગતો જાહેર કરવી તથા સેફ્ટી રેન્કિંગ મિકેનિઝમ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.ડીજીસીએએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સુરક્ષામાં ચૂક બદલ હંમેશા પાયલટ્સને દોષ ના દઈ શકાય.
ઝારખંડમાં સોમવારે સાત જણાંનો ભોગ લેનારી એર એમ્બ્યુલન્સ ક્રેશના બીજા દિવસે ડિરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન (ડીજીસીએ)એ ઓપરેટર્સ સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી. ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ બેઠકનો હેતુ વિમાન દુર્ઘટનાઓમાં તાજેતરમાં થયેલાં ચિંતાજનક વધારા અંગેના ઉકેલો અંગે ચર્ચા કરવાનો તથા એવિએશન સેક્ટરમાં સુરક્ષાના ધોરણોમાં વધારો કરવાનો હતો.
નોન શિડ્યુઅલ ફ્લાઈટ ઓપરેટર્સને ગંભીર ચેતવણી આપતાં ડીજીસીએએ જણાવ્યું હતું કે સુરક્ષાના ધોરણોનું પાલન નહીં કરવાના કિસ્સામાં મેનેજર્સ તથા વરિષ્ઠ અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવશે.
એરક્રાફ્ટની સુરક્ષાને લગતી જરૂરી માહિતીઓ જાહેર કરવાની જોગવાઈ અંતર્ગત એરક્રાફ્ટની વય તથા તેના મેઈન્ટેનન્સની વિગતો જારી કરવાની રહેશે. આ ઉપરાંત આવા ઓપરેટર્સને સેફ્ટી રેન્કિંગ પણ અપાશે. નિયમોનું પાલન નહીં કરનારા પાયલટ્સ પર આકરો દંડ લદાશે અને જરૂર જણાશે તો પાંચ વર્ષ માટે લાયસન્સ પણ સસ્પેન્ડ કરાશે.

LEAVE A REPLY