(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

પ્રોડ્યુસર એસએસ રાજામૌલીની એક ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રામચરણ સાથે જોવા મળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડાયરેક્ટર શંકર આ ફિલ્મમાં રામચરણ સાથે આલિયાને જ લેવા ઇચ્છે છે. જો આલિયા આ ફિલ્મ સ્વીકારશે તો તેની આ બીજી સાઉથની ફિલ્મ હશે. આ એક પોલિટિકલ ડ્રામા ફિલ્મ હોવાની ચર્ચા છે. જેનું બજેટ અંદાજે રૂ. ૩૦૦ કરોડનું હોવાની ચર્ચા છે. અત્યારે આ ફિલ્મનું નામ આરસી15 રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. રાજમૌલી આ ફિલ્મ ઓકટોબરમાં રીલીઝ કરવાની યોજના ધરાવે છે.