‘’ભારતની ધરા પર ભગવાન શ્રીરામચંદ્રજીનું અવતરણ અનેક લોકોના ઉદ્વાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઇએ કે ભગવાન રામે રાવણને માર્યો નહોતો પણ તાર્યો છે. એ જ રીતે માત્ર મારીને તારવાની જ વાત નહીં, પરંતુ સત્‍પાત્રોની સારી વાતો પણ જગત સમક્ષ ઉજાગર કરવાનું કાર્ય ભગવાન શ્રીરામચંદ્રજીએ કર્યું છે, જેમ કે ભરતના ગુપ્‍તપ્રેમને ઉજાગર કર્યો છે’’ એમ રાષ્‍ટ્રીય સંત પૂજ્યભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ શ્રીહરિ મંદિરના 15મા પાટોત્સવ પ્રસંગે યોજાયેલી રામકથાનાં ચોથા ‌દિવસે, મંગળવારે પોરબંદર ‌સ્‍થિત સાંદીપની ‌વિદ્યા‌નિકેતન ખાતે જણાવ્‍યું છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્યભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સા‌નિધ્‍યમાં સાંદીપની ‌વિદ્યા‌નિકેતનમાં પ્ર‌તિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહ‌રિ મં‌દિરનો ૧પમો પાટોત્‍સવ વર્ષ ર૦ર૧, તા. ૧‍૩થી ર૧ દર‌મિયાન ધા‌ર્મિક, આધ્‍યા‌ત્‍મિક, સાંસ્‍કૃ‌તિક અને સેવાકીય પ્રવૃ‌ત્તિઓ સાથે યોજાઇ રહ્યો છે. આ વર્ષે કો‌વિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદ‌ર્શિકાને ધ્‍યાને લઇને મર્યા‌દિત ભા‌વિકોની ઉપ‌સ્‍થિ‌તિમાં આ સંપર્ણ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. વિશ્વભરના ભા‌વિકો પોતાના ઘરેથી જ સોશ્‍યલ મી‌ડિયાના માધ્‍યમથી પાટોત્‍સવ-દર્શનમાં જોડાયા છે. કથાના મુખ્‍ય મનોરથી શ્રીમતી જ્યોત્‍સનાબેન તથા વજુભાઇ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઇ સાંગાણી યુકે અને સમગ્ર સંસ્‍કૃ‌તિ ફાઉન્‍ડેશન યુકે છે. ચોતા દિવસના દૈ‌નિક યજમાન ખંજનબેન, પ્ર‌તિકભાઇ અને પ્રણય શર્મા (યુકે), પુષ્પાબેન પોપટભાઇ, શીલાબેન અને રાજેશભાઇ સામાણી (યુકે) અને ચાંદનીબેન તથા અંજનાબેન ‌પિંડોરીયા (યુકે) રહ્યા હતા અને ‌શિખર ધ્‍વજા યજમાન પાર્થ આચાર્ય, ધારા આચાર્ય, ‌શિવાની આચાર્ય તથા કાજલ આચાર્ય (યુકે) રહ્યા હતા. આ સંપૂર્ણ કથાનું લાઇવ ટે‌‌લિકાસ્‍ટ Sandpani.TV, સંસ્‍કાર ટીવી ચેનલ અને સાંદીપનીના ‌વિ‌વિધ મી‌ડિયા પ્‍લેટફોર્મના માધ્‍યમથી પ્ર‌તિ‌દિન બપોર પછી ૩.૩૦થી થઇ રહ્યું છે.

પૂજ્ય ભાઇશ્રીએ જણાવ્‍યું હતું કે ‘’ભારતીય સંસ્‍કૃ‌તિ કહે છે કે આપ્‍તવાકય પ્રમાણમ્ અર્થાત્ જેમ સંતાનો માટે માતા-‌પિતાની આજ્ઞા સર્વોપરી હોય છે, તેમ ‌‌શિષ્યો માટે ગુરુની આજ્ઞાનું મહત્ત્વ પણ એટલું જ હોય છે. એટલે કે ગુરુની આજ્ઞા થાય પછી તેમાં ‌શિષ્ય તર્ક કે દલીલ કરતો નથી. ગુરુએ સોંપેલ કાર્ય કરવાનું હોય છે. જેમ કલાકારોએ પણ પ્રોડ્યુસર અને ડાયરકેટર કહે એ જ રીતે પોતાનો રોલ ભજવવાનો હોય છે.

ગોવર્ધન પૂજા એવાં અન્‍નકૂટ દર્શન
શ્રીહ‌રિ મં‌દિરના ૧પમા પાટોત્‍સવમાં તા. 16ના રોજ વંસતપંચમીના પવન ‌દિવસે શ્રીહ‌રિ મં‌દિરની બગીચીમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા ગોવર્ધન ‌ગિ‌રિરાજ શ્રીનાથજીની ‌વિ‌ધિપૂર્વક પૂજા કરવામાં આવી હતી. ગોવર્ધન પૂજાના બંને મનોરથી શ્રી દર્શનાબેન ‌દિનેશભાઇ કાપ‌ડિયા (અમે‌રિકા) અને શ્રી રેખાબેન અને ‌કિશનભાઇ પટેલ (અમે‌રિકા) ZOOMના માધ્‍યમથી ઉપ‌સ્‍થિત રહ્યા હતા અને ગોવર્ધન ‌ગિ‌રિરાજના દર્શન કર્યા હતા. પૂજ્યભાઇશ્રીએ તેમને આશીર્વચન પાઠવ્‍યા હતા.

પ્ર‌તિવર્ષ અનુસાર આ વર્ષે પણ શ્રીહ‌રિ મં‌દિરમાં શ્રી લક્ષ્‍મીનારાયણ ભગવાન સ‌હિત સર્વે ‌વિગ્રહોને અન્‍નકૂટનો ભોગ ધરાવવામાં આવ્‍યો હતો અને મધ્‍યાહનમાં પૂજ્ય ભાઇશ્રીના કરકમળ દ્વારા શ્રી લક્ષ્‍મીનારાયણ ભગવાનની અન્‍નકૂટ આરતી ઉતારી સંકીર્તન કરવામાં આવ્‍યું હતું. કો‌વિડ-૧૯ મર્યાદાઓનું પાલન કરીને ભા‌વિકોએ અન્‍નકૂટના દર્શન કર્યા હતા.

પુસ્‍તક ‌વિમોચન
શ્રીહ‌રિ મં‌દિરના ૧પમા પાટોત્‍સવ અંતર્ગત તા. 16ના વસંતપંચમી સરસ્‍વતી પૂજનના પાવન ‌દિવસે પૂજય ભાઇશ્રીના શ્રીમુખેથી પ્રવા‌હિત ‌દિવ્‍ય શ્રીરામ કથાના ચોથા  ‌દિવસના કથાના પ્રારંભે સત સા‌હિત્‍ય પ્રકાશન ટ્રસ્‍ટ દ્વારા પ્રકા‌શિત ત્રણ પુસ્‍તકોનું પૂજયભાઇશ્રીના વરદ હસ્‍તે ‌વિમોચન થયું હતું.

આ ત્રણ પુસ્‍તકોમાં પહેલું ‘પરમાત્‍માની પ્રતીક્ષા’ જેના મનોરથની સેવા સાંદીપનીના પ્રાચ્‍ય ઋ‌‌ષિ એવું સાંદિપની ‌સ્‍થિત બાબડેશ્‍વર સંસ્‍કૃત મહા‌વિદ્યાલયના વર્તમાન પ્રધાનાચાર્ય ‌બિ‌પિનભાઇ જોશી તથા સુ‌મિત્રાબેન જોશીએ આપી છે. બીજું પુસ્‍તક પાઠશાળાનું પંચામૃત જેના મનોરથની સેવા શ્રીમતી દેવીબેન અરજનભાઇ કાનગડ પ‌રિવાર – કચ્‍છએ આપી છે અને ત્રીજું પુસ્‍તક ‘જીવન એક કુરુક્ષેત્ર’ જેના મનોરથની સેવા શ્રીમતી ઉષાબેન રમેશભાઇ જનાણી, મુંબઇએ આપી છે.