બ્રિટિશ અને ભારતીય સંગીતકારો વચ્ચેના સંબંધો આ અઠવાડિયે રોયલ બર્મિંગહામ કન્ઝર્વેટોરીની ચાર ક્લાસિકલ મ્યુઝિક સુપરસ્ટાર્સની મુલાકાત સાથે મજબૂત બન્યા હતા.

બર્મિંગહામ સિટી યુનિવર્સિટી સ્થિત વિશ્વ વિખ્યાત સંગીત કેન્દ્ર ખાતે ભારતીય કોન્સ્યુલ જનરલ ઑફ ઈન્ડિયા ડૉ. શશાંક વિક્રમ અને પ્રીત કૌર ગિલ, એમપી સહિત સ્ટાફ, વિદ્યાર્થીઓ, રાજદ્વારીઓ, સાંસદો અને વેપારી નેતાઓને તબલા સુપ્રિમો ઝાકિર હુસૈને જણાવ્યું હતું કે, ‘સંગીત તમારા જીવનને એવી રીતે બદલી શકે છે જે તમે કલ્પના પણ ન કરી શકો’.

પ્રખ્યાત ગાયક-સંગીતકાર શંકર મહાદેવન, અગ્રણી વાંસળીવાદક રાકેશ ચૌરસિયા અને સુપ્રસિદ્ધ કીબોર્ડવાદક અને નિર્માતા લુઈઝ બેંક્સ આ મુલાકાત માટે સુપરસ્ટાર સાથે જોડાયા હતા.

બીસીયુ ઈન્ડિયા અને વેસ્ટ મિડલેન્ડ ઈન્ડિયા પાર્ટનરશિપ દ્વારા આયોજિત કન્ઝર્વેટરીના બ્રેડશો હૉલમાં મોહિત પ્રેક્ષકો સાથે સલાહ અને વાર્તાઓ શેર કરી હતી.

સંગીતકાર તરીકે, ઝાકિર હુસૈને અસંખ્ય ફીચર ફિલ્મો, મુખ્ય ઇવેન્ટ્સ અને પ્રોડક્શન્સ માટે સંગીત આપ્યું છે.