ભારતની સ્વતંત્રતા પછી અરબ સાગરના કિનારે તે સમયે ભગ્ન અવસ્થામાં રહેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે વટ વૃક્ષ બન્યો અને નાગર શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ સ્થાપત્યનું ભવ્ય સોમનાથ મંદિરનું નિર્માણ સંપન્ન થયું હતું. ત્યારપછી ટ્રસ્ટ દ્વારા શિખર અને સભામંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે પ્રવર્તમાન સંપૂર્ણ સોમનાથ મંદિર 1 ડિસેમ્બર 1995ના રોજ દેશના તત્કાલીને રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણના સ્મરણાર્થે પ્રતિ વર્ષ સોમનાથમાં 1 ડિસેમ્બર ને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

શ્રી સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિતે સોમનાથ મહાદેવને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી તેમજ મંદિરમાં મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

7 − 6 =